અકૂપાર - નાટક રિવ્યુ

  • 6.9k
  • 2.4k

#akupar #નાટક_અકૂપાર#અકૂપાર_નવલકથા 'અકૂપાર' એ શબ્દ જ આપણને જીજ્ઞાસાપ્રેરે એવો છે. લેખક ધ્રુવ ભટ્ટ લિખિત અકૂપાર નવલકથા ગીર, ગીરવાસી અને ગીરના સજીવોનું સહજીવન આલેખતી અદભુત નવલકથા છે. ચાર પાંચ મહિના પહેલા આ અકૂપાર નવલકથા વાંચી અને ખૂબ જ અભિભૂત થયો. આ નવલકથા વાંચ્યા પછી ખરેખર આપણને એમ થાય કે આ વિકાસ પાછળની આપણી આંધળી દોટ એ સાવ પોકળ છે; નર્યા પાણીના પરપોટા છે. આમને આમ વિકાસ કરીને આખરે માણસને મેળવવાનું છે શું ? ખરેખર જોઈએ તો ભૌતિક રીતે અનેક અસુવિધાઓ અને અગવડતા વચ્ચે જીવનારો આ ગીરનો માનવી અથવા કહો ને ભારતના કોઈપણ અંતરિયાળ ગ્રામીણ પ્રદેશમાં રહેતો માનવી દોમદોમ ભૌતિક સુખ-સાહેબીમાં મ્હાલતા