રણનીતિજ્ઞ

  • 1.7k
  • 588

કયા મૃગસ્યા ને ત્યા મોકલવામાં આવેં તેને તો રાજનીતિ નો ર પણ નથી આવડતો. આં અવાજ મહારાજા મુક્તેશ્વરસેન નો હતૉ જે તેમના વૃદ્ધ મંત્રીશ્રી શાક્ય ને કહેતા હતાં. મુક્તેશ્વરસેન મુદ્રા સમ્રાજ્યા ના નવા મહારાજા હતાં. હજુ થોડા સમય પેહલા જ જુના મહારાજા અને તેમના પિતા મહારાજા હરિશ્વરસેન નું અવસાન થયું હતું. મુદ્રા સામ્રાજ્ય આજુબાજુ ના કેટલાય રાજ્યો ઉપર શાસન કરતુ હતું. પણ મહારાજા હરિશ્વરસેન ના અવસાન બાદ કેટલાય રાજ્યો ના અવાજ હવે વિદ્રોહ થયાં હતાં. અને મંત્રીશ્રી શાક્ય ના પથારીવસ થતા જ વિદ્રોહ હવે ષડયંત્ર રચવા લાગ્યા હતાં. હાલ ના નવા મહારાજા હિંમતી તો હતાં પણ તેઓ દુરદેશી ન હતાં.