એક પૂનમની રાત - પ્રકરણ : ૧૦૪

(105)
  • 5.2k
  • 2
  • 3.6k

એક પૂનમની રાત પ્રકરણ : ૧૦૪ સિદ્ધાર્થ રાત્રીનાં સમયે કાર્તિક અને ભેરોસિંહને બોલાવી ઉલટ તપાસ કરી રહ્યો હતો. સાથે ઝંખનાની તાંત્રિક શક્તિઓની એલોકો ઉપર અસર હતી તેઓ પોપટની જેમ કબૂલી રહેલાં એમાંય રામુ અંગેની પૂછપરછમાં આઘાતજનક ખુલાસા સામે આવી રહેલાં. ભેરોસિંહનાં કહેવા પ્રમાણે રામુને એલોકો છેતરીને અવાવરી વાવ પાસે લઇ આવેલાં. રામુને અલ્કાપુરીથી ઉઠાવ્યો હતો બાઇકપર આગળ કાર્તિક બાઇક ચલાવતો હતો વચ્ચે રામુ અને પછળ ભેરોસિંહ બેઠેલો હતો. સિદ્ધાર્થે પૂછ્યું પણ રામુ તમારી સાથે શા માટે આવ્યો ? એ તમારાં ઉપર ભરોસો શા માટે કરે ? કાર્તિકે કહ્યું સર રામુ થોડો...સ્ત્રેણ હતો પણ ચબરાક હતો અમે એની પાસે ગયાં એને