મારો યાદગાર પ્રવાસ

  • 2.8k
  • 1
  • 982

શ્રીમતી સ્નેહલ રાજન જાની "રામ રાખે તેને કોણ ચાખે?" આ ઉક્તિ આપણાં સૌ માટે જાણીતી છે. આ ઉક્તિને સાર્થક કરતી એક ઘટના મારાં જીવનમાં બની ગઈ. આ ઘટના બની ત્યારથી મારી એ સફર આજ દિન સુધી મારાં મનનાં એક ખૂણે કાયમ માટે વસવાટ કરી ગઈ છે. આજથી સાત વર્ષ પહેલાંની વાત છે. હું મારા પતિ, દિકરી અને ભાણેજ સાથે વેકેશન દરમિયાન રાજસ્થાન ફરવા ગઈ હતી. અમારે માટે રાજસ્થાન એટલે નાથદ્વારા. આ એક જ અમારી રાજસ્થાન સફરનું સરનામું. મારું આખુંય કુટુંબ શ્રીજી બાવાનું ભક્ત. મને તો આ જગ્યાની ખબર લગ્ન પછી જ પડી હતી. ફરવા ગયા ત્યારે તો કોઈ જ વાંધો