સાતમું આસમાન - 3

  • 4.4k
  • 1.5k

ગુલમહોરનાં વૃક્ષો અને થોડાં -થોડાં અંતરે લગાવેલી લાકડાંની સફેદ રંગની બેંચિસથી ઘેરાયેલા સાફ-સુથરાં અને હંમેશા શાંત રહેતા 'લાઇફ-કેર' હૉસ્પિટલનાં પ્રાંગણમાં આજે દોડાદોડીનો માહોલ હતો. સિક્યુરિટી અને હાઇજિનને સૌથી વધારે પ્રાયોરિટી આપતી લાઈફ-કેર હૉસ્પિટલની સિક્યુરિટીનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું કારણકે, ભારતના પ્રધાનમંત્રી અમરનાથ ત્રિવેદીને મોડી રાત્રે હાર્ટ અટેકની અસર જણાતાં એમને સવાર થતાં મીડિયા રીપોર્ટર્સ ખાંડની માથે કીડીઓ ઉભરાય તેમ હોસ્પિટલના પ્રાંગણમાં આવી પહોંચ્યા હતાં. બધાને પોતાના ન્યૂઝપેપર અને ચેનલ ન્યૂઝ ચેનલ માટે કંઈક મસાલેદાર મળવાની આશા હતી અને એ પ્રમાણે ભાત -ભાતનાં પ્રશ્નો પણ એ લોકો પાસે તૈયાર હતાં."પ્રધાનમંત્રીને એઇમ્સ જેવી મોટી હોસ્પિટલની જગ્યાએ લાઇફ-કેરમાં શા માટે એડમિટ