વીર રાજપૂત અને ભૂતાવળનો ભેટો... - 2

  • 4.7k
  • 2.2k

થોડો આરામ કરી અને આ ગામમાં ક્યાંક થોડું ભરપેટ ભોજન કરીને પછી સવારમાં હવે વહેલો મારા ગામમાં પાછો જતો રહીશ એવા વિચાર સાથે રાજા ઘોડો ધીમે ધીમે ફાનસના આવતા અજવાળા બાજુ લઈ જાય છે. રાજા વિક્રમસિંહ તે ગામમાં આવતા એમને વિચાર્યું કે રાત્રીના સમયમાં હું કોઈ બીજા ગામમાં આવી ગયો છું કદાચ જેની વાત કૃષ્ણકુમારજી એ કરી હતી આ એ ગામ નથી લાગતું એમ વિચારતા વીર રાજપૂત ઘોડા ઉપરથી નીચે ઉતરતા ગામમાં અંદર જતા જ પહેલા ઘર આગળ ઊભા રહ્યા અને બોલ્યા કે કોઈ છે ઘરમાં ? ત્યાંતો એક ઘરડી સ્ત્રી ઘરમાંથી આવી