એક પૂનમની રાત - પ્રકરણ - 63

(119)
  • 6.2k
  • 4
  • 4.5k

એક પૂનમ ની રાતપ્રકરણ - 63દેવાંશ, અનિકેત , રાધિકા (અંકીતા ) વ્યોમા બધા અંકિતાનાં પાપની ઑફીસથી નિકળ્યાં અને દેવાંશને કંઇક યાદ આવ્યું અને એણે મોબાઈલ લઇ ફોન લગાવ્યો. અને એણે કહ્યું સર તમારો મેસેજ હતો મારુ હમણાં ધ્યાન ગયું સોરી સર. સામેથી કમલજીત સરે કહ્યું દેવાંશ મેં મેસેજ બધાને કર્યો છે પણ પેહલો જવાબ તારો આવ્યો જોકે બપોરે કરેલો મેસેજ હું સમજુ છું બધાં વ્યસ્ત હશે પણ આવતી કાલે સવારે શાર્પ ૧૦ વાગ્યે મેં બધાને મિટિંગ માટે બોલાવ્યાં છે જરૂરી કામ છે અને આગળની કાર્યવાહી રિપોર્ટ અંગે ખાસ બધાને સમજાવવું છે. કારણકે નવરાત્રી અને બધાં તહેવારો આવશે એટલે આ બાબતે