અનાથાશ્રમ - ભાગ 5

  • 3.9k
  • 1.8k

' આનંદ' અનાથાશ્રમના મેનેજર સાહેબ દ્વારા જ્યારે જગદીશ ભાઈ અને ગાયત્રી બેનનું નામ બોલી તેમને મંચ પર આવકારવામાં આવ્યા, અને તેઓનું સન્માન કરવામાં આવ્યું. આ બધું જોઈને આશિષ તો મુંઝાવા લાગ્યો, કે મેનેજર સાહેબ તેના માતા પિતા વૃદ્ધાશ્રમમાં છે એ વાત અહીં જાહેરમાં ન બોલે તો સારું. રુચિકા પણ આ બધું જોતા ગુસ્સાથી ધુંઆપુઆ થઈ રહી હતી. ખાસ કરીને પોતાના સસરા દ્વારા કોઈને દત્તક લીધાની વાત જાણી તે થોડી વધુ અકળાઈ રહી હતી. સમારંભ પૂરો થયા બાદ આશિષે તો જગદીશ ભાઈ અને ગાયત્રી બેેેન પર પ્રશ્નોનો મારો ચલાવ્યો,"તમે