સંઘર્ષ - પ્રકરણ:-૪. - વિરહના દિવસો

  • 2.4k
  • 1.1k

ગયા પ્રકરણમાં આપણે જોયું કે કેવી રીતે ગામમાં પૂર આવે છે અને જીવરાજભાઈ કેવી રીતે સંઘર્ષ કરીને બચે છે.ત્યાર બાદ પોતાનું સામાન્ય જીવન કઈ રીતે જીવે છે.બીજી બાજુ છોકરાઓના ઉચ્ચ ભણતરના ખર્ચને પહોંચી વળવા નરેશભાઈ ધંધાર્થે શહેર જવાનું નક્કી કરે છે.હવે જોઈએ આગળ શું થાય છે.....વિરહના દિવસો:-નરેશભાઈ બીજા દિવસે સવારે પહોંચી ગયાનો ફોન આવે છે. નરેશભાઈ એકલા રૂમ રાખીને રહે તો કમાણીનું અડધું તો ભાડામાં જ જતું રહે. એટલે તેઓ હીરાના કારખાનામાં જ રહેવાનું નક્કી કરે છે.પોતે ઘરેથી જરૂર પૂરતી સામાન જ લઈ ગયેલા.એક પાથરવા માટેની ગોદડી અને એક ઓઢવા માટેની સાલ. પોતાની સાથે ઘણા ભાઈઓ પણ ત્યાં રહે.અને જમવા