ઓઝોન દિવસ

  • 5.7k
  • 2
  • 2.3k

લેખ:- ઓઝોન વિશેની માહિતી લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ધરતી પર જીવન માટે જરૂરી છે ઓઝોનનું આવરણ અને જો તેમાં ગાબડા પડે તો ચામડીનું કેન્સર અને આંખોના મોતિયા જેવી સમસ્યાઓ આવે છે. સૂર્યનાં પારજાંબલી કિરણોથી આપણી રક્ષા ઓઝોન વાયુ કરે છે. ઓઝોન આપણા વાતાવરણમાં રહેલો વાયુ છે. જે ઑક્સિજન વાયુનો એક પ્રકાર છે. ઑક્સિજનનાં બે પરમાણુઓ ભેગા થાય તો ઑક્સિજન વાયુ બને જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ, જે આપણી શ્વસનક્રિયા માટે જરૂરી બને છે. જયારે ઑક્સિજનનાં ત્રણ પરમાણુ ભેગા થાય તેને ઓઝોન કહેવાય. ઓઝોન ગ્રીક શબ્દ છે. તેનો અર્થ થાય ‘સુંઘવુ.’ તેની શોધ ઈ. સ. 1839માં ક્રિશ્ચિયન ફેડરિક શ્યોનબાઈને કરેલી.