14 August 1947

  • 3.6k
  • 1.2k

14 ઓગસ્ટ 1947 ની સવાર ઊગી અને ભારતની આઝાદીને આખરી ઓપ આપવા આખા દેશના ચક્રો ગતિમાન થયા. સાંજ પડતા સુધીમાં બધી તૈયારી થઈ ચૂકી હતી. ત્યાં સુધીમાં વરસાદ પડવાનું શરૂ થઈ ચૂક્યું હતું. વરસાદ પણ જાણે આ ઐતિહાસિક દિવસનો સાક્ષી બનવા માંગતો હતો. રાતના નવેક વાગ્યા સુધીમાં તો દિલ્લીના રાયસીના હિલ્સ પર પાંચેક લાખ લોકો એકઠા થઈ ગયા. આખરે દેશની જનતાને પણ પોતાના આઝાદ દેશના રાષ્ટ્રધ્વજને લહેરાતો જોવો હતો. દસના ટકોરા પડ્યા અને પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને માઉન્ટ બેટન રાષ્ટ્રપતિ ભવનમાં હાજર થયા. બાર વાગવામાં આંગળીના