બાબરી

  • 3.9k
  • 1.5k

બાબરી "કહું છું, આ સૂરજ ત્રીસ વરસનો થયો અને હજી એના લગ્ન પણ ગોઠવાતા નથી. મને છેલ્લા છ મહિનાથી મનમાં એવું થાય છે કે આપણે નાનપણમાં એની બાબરી ઉતરાવી ન હતી એના કારણે એના લગ્ન નહિ થતા હોય એવું તો નહિ હોયને? આપણા ગામ બોકરવાડામાં કુળદેવીના મંદિરમાં બાબરી ઉતારવાની પ્રથા છે પરંતુ તમારી જીદના કારણે આપણે એ પ્રથા પાળી શક્યા નથી અને બાધા પૂરી કરી શક્યા નથી એના કારણે જ આનું લગ્નનું અટકતું હશે એવું શીલાભાભીએ મને ગઇકાલે ફોનમાં કહ્યું હતું. બસ ત્યારથી જ મારા મનમાં આ વાત ફર્યા કરે છે." પત્ની વસુધાએ પતિ રમાકાંત રાવલને કહ્યું હતું.