પ્રીત ના કરીયો કોઈ.

  • 4.9k
  • 1
  • 1.8k

કોલૅજ ખુલી ગઈ હતી.તે હજુ આવી ન્હોતી! મન ઉદાસ હતું.એક દિવસ વીત્યો રાત પડખું ફેરવ્યામાં વિતાવી. સવાર થઈ, તેમની સખી ને પૂછ્યું બધાં જ અનુત્તર. જમવામાં ચિત્ત ચોટ્યું નહીં, શું થયું હશે? શંકા કુશંકા માં બીજો દિવસ વીત્યો. અભ્યાસ માં ચિત્ત ચોંટતું નથી, નજર વારંવાર રૂમ ના દરવાજે અથડાઈ પાછી વળે છે. એના કોઈ જ સમાચાર આપતું નથી. ધીરજ ખૂટતી જાય છે. મોબાઈલ કરું પરંતુ સોગંદ દીધા છે કે કોઈપણ કાળે મને મોબાઈલ માં મેસેજ કે કૉલ નહીં કરવો. શું કરવું. મનની મુંઝવણ કોને કહું? આખો તાસ,બીજો એમ બધા તાસ પુરા થઇ ગયા પણ તે