એક પૂનમની રાત - પ્રકરણ-27

(123)
  • 7.3k
  • 4
  • 5k

એક પૂનમની રાત પ્રકરણ-27 અઘોરીનાથની તાંત્રિક વિધીથી અંગારીનો જીવ પ્રેતયોનીમાં થી મુક્ત થઇને સદગતિ પામ્યો એ જાણીને બધાંને સંતોષ અને આનંદ થયો હતો. અઘોરનાથમાં એટલું સત હતું. વળી એ દેવાંશને ઓળખી ગયેલાં કે આ છોકરામાં પૂરી પાત્રતા છે. એટલો દેવાંશને એમની પાસે મળવા બોલાવેલો. ત્યાં હાજર સિદ્ધ્રાર્થે કહ્યું સર.. દેવાંશનાં મિત્ર મીલીંદના અકસ્માતે મૃત્યુમાં મને પહેલેથીજ વહેમ હતો. આ કોઇ આપઘાત કે એમજ થયેલું મૃત્યુ નથી ચોક્કસ એની પાછળ કોઇ કાવત્રુજ છે. આજે આ તાંત્રિક સાધુએ કહ્યું એટલે મારો વિશ્વાસ વધી ગયો છે એની ખરેખર તપાસ થવી જોઇએ. દેવાંશે કહ્યું અંકલ... મારો મિત્ર ખૂબ સંતોષી અને આનંદી હતો એનૈ એની બહેન