સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - લેખાંક 8

  • 5.3k
  • 1
  • 2.2k

મૂલાધારચક્ર સંતુલનના ઉપાયો (ગતાંકથી ચાલુ) મૂલાધારચક્ર સંતુલન માટેના વિવિધ ઉપાયોની ચર્ચા દરમ્યાન લેખાંક ૭માં ક્રોમોથેરાપી (કલર થેરાપી), આહાર, યોગાસન, મુદ્રા, સાઉન્ડ થેરાપી, મંત્ર, અરોમા થેરાપી અને ક્રિસ્ટલ/ રત્ન / સ્ટોન થેરાપી વિશે ચર્ચા કરી. હવે અન્ય ઉપાયો પણ જોઈએ. એફર્મેશન્સ અર્ધજાગૃત મનમાં ઘર કરી ગયેલી બાધક (Limiting) માન્યતાઓ દૂર કરવા માટે આ એક બહુ સારી પદ્ધતિ છે. નીચે મુજબનાં વાક્યો નિયમિત રીતે બોલી મગજમાં ઉતારવાથી ધીરે-ધીરે માન્યતાઓનું સ્વરૂપ બદલાશે, મૂલાધારચક્ર પર હકારાત્મક અસર ઊભી કરશે. આ વાક્યો નજર સમક્ષ રહે તેમ કોઈ જગ્યાએ લખી પણ શકાય, જેથી વારેઘડીએ તેના પર નજર પડે. 1. હું સુરક્ષિત છું. 2 . મારા