આગે ભી જાને ના તુ - 35

  • 3k
  • 1
  • 1k

પ્રકરણ - ૩૫/પાંત્રીસ ગતાંકમાં વાંચ્યું..... રતન અને રાજીવનો પીછો કરતી વ્યક્તિ જોરવરસિંહનો પણ પીછો કરે છે. અનન્યાના કહેવા પ્રમાણે જમનાબેન વડોદરાથી બે દિવસથી ક્યાંક બહાર ગયા છે. જોરવરસિંહને કરસન એક પાયલ આપે છે જે એને ખેતરની બહારથી મળે છે અને એ પાયલ માયાનું જણાતાં જોરવરસિંહને ભારે આંચકો લાગે છે.... હવે આગળ...... "અનન્યા સાચું કહેતી હતી. આટલા વર્ષોમાં મેં તો શું મારા પરિવારે પણ ક્યારેય એમના કોઈ રિલેટિવ વિશે નથી સાંભળ્યું અને મમ્મી-પપ્પાએ પણ મને કંઈ નથી કીધું. ક્યાં ગયા હશે જમનામાસી અને આ ચીમન કોણ હશે?" અનન્યા સાથે ફોન પર વાત પૂરી કરી રાજીવ વિચાર કરતો બેડ પર પડી રહ્યો.