પદ્મિની

(18)
  • 4.3k
  • 4
  • 1.3k

પદ્મિની છૂપી રીતે પાછળના રસ્તેથી કારાવાસમાંથી નાસી છુટી હતી. જૂની અને બાહોશ દાસી અંજનાના પ્રતાપે પદ્મિની નાસી છૂટવા માટે સક્ષમ બની હતી. વિલાસપુર નામનું નગર ખૂબજ વિક્ષિત અને સ્વચ્છતામાં પહેલો નંબર ધરાવતું આ નગર નગરજનોને ખૂબજ પ્રિય હતું. આજુબાજુના આખાય પંથકમાં આ નગરની અને નગરના રાજા પૃથ્વીરાજ તેમજ તેમની પત્ની વિમળા દેવીના વખાણ થતાં. તેમની એકની એક દીકરી આકાશને પણ આંબી જાય તેવી પ્રતિભા ધરાવનાર, દેખાવમાં સુંદર, યુદ્ધની કેળવણી લઈને આવેલી ખૂબ જ બાહોશ અને હોંશિયાર પદ્મિની પણ આખાય પંથકમાં સૌને વ્હાલી હતી. દીકરી પદ્મિનીને પૃથ્વીરાજે યુધ્ધની કેળવણી લેવા માટે દિવ્ય મુનિના આશ્રમમાં મૂકેલી હતી તેથી રાજા પૃથ્વીરાજ અને વિમળા