રાજકારણની રાણી - ૪૫

(63)
  • 4.6k
  • 2
  • 2.6k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૫સુજાતાબેન ચૂંટાયેલા જાહેર થયા પહેલાં રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે એ જાણીને જનાર્દનને મોટો આંચકો લાગ્યો હતો. તેમને આ પગલું ભરતા અટકાવવા જ પડશે એવું મનોમન નક્કી કરી ચૂક્યો હતો. લાંબો વિચાર કર્યા બાદ તેને એક જણ યાદ આવ્યું કે જે સુજાતાબેનને રાજીનામું આપતાં અટકાવી શકે છે. એમની સાથે વાત કરવાનું સરળ ન હતું. પોતે ક્યારેય મળ્યો નથી પરંતુ નામથી એ જરૂર ઓળખે છે એટલે ગમે તે રીતે એમનો સંપર્ક કરીને એમના કાને આ વાત નાખવી જ પડશે.જનાર્દનને થયું કે એ પોતાના સ્વાર્થને કારણે એવું વિચારી રહ્યો નથી કે સુજાતાબેન રાજીનામું ના આપે. પોતે