મીરાંનું મોરપંખ - ૧૬

  • 2.9k
  • 960

આપણે આગળ જોયું એ મુજબ રાજુભાઈની વાત નરેશના પપ્પા(શામજીભાઈ)ની સાથે થાય છે. વૃદ્ધે અમેરીકામાં લગ્ન ગોઠવાય તો પોતે ત્યાં જવાની ના પાડી છે. ભારતમાં ગોઠવાય તો પોતે રાજી છે. આવી વાતથી બધા ચોંકી જાય છે. રાજુભાઈ થોડીઘણી વાતો કરી પછી ફોન મૂકે છે. નરેશના હાથમાં ફોન આપતી વેળાએ એનો મગજ થોડો ગુસ્સે હોય એવું લાગ્યું. ત્યાં નરેશ જ કહે છે, " કાકા ! તમે ચિંતા ન કરો. મમ્મીના ડેથથી એ સાવ તૂટી ગયા છે. આમ પણ એમની ઉંમર છે. એ કદાચ અહીં આવશે તો દવા જ લેવી પડશે અને ત્યાં પણ દવા પર જ એનું જીવન ટકેલું છે. એના