રાજકારણની રાણી - ૩૯

(61)
  • 4.9k
  • 4
  • 2.7k

રાજકારણની રાણી 3૯- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-3૯ સુજાતા અને હિમાની આંખોથી જ વાત કરી રહ્યા હતા. શંકરલાલજીના સુજાતાબેન પર ચાર હાથ છે એવો એમાંથી અર્થ નીકળતો હતો. એક રીતે બંને ખુશ હતા કે બહેનની પહોંચ દૂર સુધી છે અને એ કારણે એમની રાજકીય કારકિર્દીને પણ વેગ મળવાનો છે. બંનેએ કોઇ આશા વગર સુજાતાબેનને સારી મદદ કરી હતી. બંનેએ ઘરે જઇને આ મુદ્દે ચર્ચા કરવાનું નક્કી કરી લીધું હતું. ત્યાં સુજાતાબેન આવીને બોલ્યા:"શંકરલાલજીએ નવી કામગીરી સોંપી છે. હા, આ વાત આપણી વચ્ચે જ રાખવાની છે. તેમણે પાટનગરમાં કહ્યું છે કે સુજાતાબેનની પક્ષના સ્ટાર પ્રચારક તરીકે નિમણૂંક કરો. સુજાતાબેનનું સફળ ઉદાહરણ પક્ષને ઉપયોગી