લવ બાઇટ્સ - પ્રકરણ-18

(113)
  • 6.6k
  • 6
  • 3.9k

લવ બાઇટ્સપ્રકરણ-18 સ્તવન અને સાથે બધાં કુટુંબીજનો -રાજમલકાકા-કાકી તથા આશાનાં ઘરનાં બધાંજ મંદિર પાસે બેઠેલાં હતાં. રાજમલસિંહ પૂજારીજીને મળીને આવ્યાં હતાં એમણે બાબાને મોકળાશથી અંગત રીતે એકાંતમાં મળવા માટે રજા લઇ લીધી હતી એટલે માણેકસિંહ નિશ્ચિંત થઇ ગયાં હતાં. રાજમલસિંહે કહ્યું બાબા આપણને એકાંતમાં મળશે વાંધો નથી આજે સ્તવનની તકલીફ સ્પષ્ટ કહીને આજે ઉકેલજ લાવી દઇએ એનાંથી યુવરાજસિહ પણ નિશ્ચિંત થઇ જાય. "માણેકસિહજી સ્તવનની તકલીફ યુવરાજસિંહને કહી છે એમણે કહ્યું અહીં આવ્યા છીએ એટલે વાંધો નથી એનો ઉપાય થઇજ જશે મને વિશ્વાસ છે પણ સાથે સાથે કહ્યું કે આ જાણ્યા પછી પણ અમારાં નિર્ણયમાં કોઇ બદલાવ નથી અમે સ્તવનને પસંદ