અભ્યુદય - 2

(27)
  • 3.3k
  • 2
  • 1.2k

અભ્યુદયભાગ - 2વર્તમાનમાં ચાલુ સભા... રમેશભાઈએ પોતાની વાત કહ્યા બાદ મુખીએ સૌના અભિપ્રાય જાણવા...આ વિશે ગામલોકો કેવી વૈચારિક દ્રષ્ટિ ધરાવે છે તે ચકાસવાનાં આશયથી કહ્યુ, "તમે સૌ આ વિશે તમારા મત આપી શકો છો." એક વડીલ - આજકાલના સોકરાવનું કઈ નક્કી નઇ. વરી શેરમાં રહી ભણતા હોય ને ટોકવાવાળું કોઈ હોય નઇ તો મન મરજી પડે ઇ કરે. બીજા વડીલ - અયા આપણી દેખરેખ હેઠળ હોય તો સારા રે, પણ શેરમાં રે તો તયની હવા લાગતા ભઈ વાર કેટલી..!? પેહલા વડીલ - એ જ તો હું કવ સુ ભાઈ, આટલે દૂર ભણવા મોકલવાનું કામ જ હું સે. મુખીને ગામલોકો પર મનોમન દયા