ભીતર-બહારનું ઘમસાણ - દિવ્યેશ ત્રિવેદી

  • 1.7k
  • 1
  • 538

આખો દિવસ વજુભાઇના જ વિચારો આવ્યા. ઇન્કમટેક્સના નવા કાયદા વિષે એમને પૂછવા માટે ફોન કર્યો હતો એમણે તદ્દન રૂક્ષ અવાજે ટૂંકમાં ‘હા’ અને ‘ના’ વડે જ જવાબો આપીને વાત પતાવી દીધી. બહુ નવાઇ લાગી. વજુભાઇ ફોન પર પણ હંમેશાં ‘લાઇવ’ લાગે અને એમને કંઇક પૂછીએ તો તો એકદમ આનંદમાં આવી જાય. વિશ્વકોશ જેટલી માહિતી સાથે લઇને ફરતા હોય. પહેલાં થયું કે કદાચ બહુ વખતે એમને ફોન કર્યો એટલે થોડા નારાજ હશે. પરંતુ એમના સ્વભાવ પ્રમાણે જો ખરેખર એવું હોય તો ફોન પર જ એ ઉઘડો લે. પરંતુ એમના અવાજમાં પહેલાં જેવી ઉષ્મા જ નહોતી. બીજે દિવસે રહેવાયું નહીં એટલે