કાનજીએ કરાવી ચોરી!!

  • 5.8k
  • 1
  • 1.1k

કોરોના!!આ શબ્દ સાંભળતા જ ડર લાગે છે ને!ભવિષ્યમાં જ્યારે આ કોરોના-કુળની વાતો નિકળશે,ત્યારે આપણે ગર્વથી કહી શકીશું કે આપણે આ યુગમાંથી પસાર થઈ ગયાં છીએ,જો ત્યાં સુધી જીવતા હોઇશું તો હ!કો - કોઈરો - રોકીના - ના શકે,એવી પરીસ્થિતીઓનું નિર્માણ કોરોનાએ ક્ષણભરમાં કરી નાખ્યું.રોગ અસંખ્ય લોકોને ભરખી તો ગયો અને સાથેસાથે કેટલાંય લોકોને ભૂખે માર્યા,કેટલાંય લોકોની રોજી છિનવાઇ ગઈ,બેકારીનું પ્રમાણ વધી ગયું અને છેલ્લે ચોરીનું પ્રમાણ ખુબ વધી ગયું.સારાં ઘરનાં લોકોનાં પણ ધંધા-રોજગાર ભાંગી પડતાં તથા નોકરીઓ છૂટી જતાં તેઓ પણ પરિવારનાં ભરણપોષણ માટે ચોરી કરવાં મજબુર બન્યાં.'કાનજી ઠાકર',દ્વારકામાં રહેતાં એક અતી ધનવાન ઉદ્યોગપતિ અને 'હિન્દુસ્તાન જનતા પાર્ટી'નાં સાંસદસભ્ય,આખાં દ્વારકામાં