અસ્તિત્વ

(13)
  • 2.7k
  • 648

મનાલીનું આવું રૌદ્ર રૂપ જોઈને શિશિર, રાગ અને લય ત્રણેય ડઘાઈ ગયા. આજ પહેલા કોઈએ મનાલીને ક્યારેય ઊંચા સ્વરે વાત કરતા સુદ્ધા પણ સાંભળી ન હતી. મનાલી અને શિશિરના લગ્નને 30 વર્ષ થયા હતા અને 30 વર્ષમાં પહેલીવાર શિશિરને લાગ્યું કે જાણે તે તેની પત્ની મનાલીને તો ઓળખાતો જ નથી. મનાલી કામદાર. મનાલી, કોઈ બરફ આચ્છાદિત પ્રદેશ જેવી નયનરમ્ય, સૌમ્ય, સુંવાળી અને હિમ જેવા ઠંડા સ્વભાવ વાળી. જો કે મનાલીના ગભરુ સ્વભાવનું મૂળ તેના બાળપણમાં રહેલું હતું. અજય કામદાર અને નલિની કામદારનું એકમાત્ર સંતાન એટલે આ મનાલી. અજયભાઈનું ઘર સુખી, સાધન સંપન્ન, પણ અજયભાઈના મમ્મી ભગવતીબેનને ખુબ ઈચ્છા હતી કે મનાલીને