નસીબ નો વળાંક - 12

(59)
  • 4k
  • 1
  • 1.6k

આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે વેણુ બેભાન હાલતમાં જમીન ઉપર પડ્યું હતું અને એના આગળના પગ માંથી લોહીની ધાર વહી રહી હતી.. પછી અનુરાધા અશ્વવેગે દોડી ને ઘાયલ વેણુની નજીક આવી બેસી ગઈ..અને વેણુ ને પોતાના ખોળામાં લઇ સહજતાથી પંપાળવા લાગી અને પોતાની આંખોમાંથી વહેતી કરુણ લાગણીઓને વેણુ ઉપર વરસાવી એને હેતથી ભીંજવવા લાગી .. લોહી ખૂબ જ વધુ વહેવા લાગ્યું હતું આથી હવે અનુરાધા ખૂબ જ ગભરાઈ ગઈ અને પોતે પણ અચંબામાં પડી ગઈ હતી.. અનુરાધા એકીસાથે આવેલી આ અણધારી આફત સહન ન કરી શકી અને બેભાન થઈ ત્યાં જ નીચે જમીનમાં ઢળી પડી...હવે આગળ,