સમર્પણ - 7

(14)
  • 3.1k
  • 2
  • 1.5k

" સમર્પણ " પ્રકરણ-7 આપણે પ્રકરણ-6 માં જોયું કે નિલમ અને નીમા પરાગભાઈને ઘરે આવ્યા અને પરાગભાઈ તેમજ રૂપાબેનને સમજાવ્યા કે અમારે ખાલી કંકુ અને કન્યા જ જોઈએ છે માટે તમે કરિયાવરની જરા પણ ચિંતા કરશો નહિ. આ વાત સાંભળીને પરાગભાઈ અને રૂપાબેને નમ્રતાના સગપણ માટે " હા " પાડી દીધી અને આખુંય વાતાવરણ જાણે ખુશીથી મહેંકી ઉઠયું હવે આગળ.... નિલમે અને નીમાએ ઘરે આવીને આ સમાચાર આપ્યા એટલે જીવરામશેઠના ઘરમાં પણ ખુશીનું વાતાવરણ છવાઈ ગયું અને અનિષ તો જાણે ખુશીથી પાગલ થઈ ગયો હતો. જીવરામશેઠે ઘરમાં બધાને લગ્નની તૈયારી કરવા માટે પણ કહી દીધું. હવે અનિષને તો બસ નમ્રતાને