ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 5

(155)
  • 4.7k
  • 7
  • 3.1k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-5 બીજા દિવસે સાંજે સાત વાગે અર્જુન, નાયક અને માધવ પોતપોતાનો સામન લઈને અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યાં હતાં. રૉ ચીફ રાજવીર શેખાવત અને અંડર કવર ઓફિસર નગમા શેખ પહેલેથી જ એરપોર્ટ પર મોજુદ હતાં. અર્જુન, માધવ અને નાયકની ફ્લાઈટ ટિકિટની વ્યવસ્થા પહેલેથી જ થઈ ચૂકી હતી. સાડા ત્રણ કલાક બાદ એ લોકો મુંબઈની ખ્યાતનામ હોટલ ધ લીલામાં આવી પહોંચ્યાં હતાં, જ્યાં એ લોકો માટે પહેલેથી જ રૂમ બુક કરેલાં હતાં. અર્જુન, નાયક અને માધવને મિશન પર ગયાં પહેલા અહીં જ રોકાવાનું હતું. નગમા મુંબઈની રહેવાસી હતી એટલે એ પોતાના ઘરે જ રોકવાની હતી, જ્યારે રાજવીર શેખાવત રૉ