પદચિહ્ન - દિવ્યેશ ત્રિવેદી

  • 1.4k
  • 574

દરરોજ તો જયશ્રી સાંજે છ વાગ્યા સુધીમાં ઘરે આવી જતી હતી. પરંતુ આજે મેનેજમેન્ટ કમિટિની મિટીંગમાં હાજર રહેવું એના માટે જરૂરી હતું. સાંજે છ વાગ્યા ત્યારથી એનો જીવ તો ઘેર પહોંચી જ ગયો હતો. નર્સ છ વાગ્યે જયશ્રી આવે પછી નીકળતી હતી. સાંજે ચાર વાગ્યે એણે ઘરે ફોન કરીને નર્સને એકાદ કલાક વધુ રોકવા કહ્યું હતું. પરંતુ અત્યારે તો એથી પણ વધુ મોડું થયું હતું. ઘરે બાપુ એકલા જ હશે એ વાતની એને ચિંતા હતી. પરંતુ એ ઘરે આવી ત્યારે હજુ નર્સ બેઠી હતી. જયશ્રી એ એને જવાની આજ્ઞા આપી અને આભાર માન્યો. એણે જોયું તો જનકસિંહ ઊંઘમાં