પતિ: પરમેશ્વર ?

  • 7.4k
  • 1.4k

એ સમયની વાત છે કે જયારે ૧૨ થી ૧૬ વર્ષની ઉંમરમાં એ કાચી વયની અર્ધ-યુવતીના લગ્ન થઇ જાય. પતિ ઉંમરમાં ૧૦-૧૫ વર્ષ મોટો હોય એટલે આર્થિક રીતે સધ્ધર, દુનિયાથી પરિચિત, ભરણપોષણ કરવા સક્ષમ અને સલામતી પુરી પાડી શકે એવો હોય. બાલિકા-વધુ જેવી એ પત્નીને એનો પતિ એની બધી જ જરૂરિયાતો પુરી પાડે, પુખ્ત-સ્ત્રી બને ત્યાં સુધી જરૂરી વ્યહવારિક-સાંસારિક માર્ગદર્શન આપે અને બાળકો સહીતના પરિવારને એક છત્રછાયા પુરી પાડે. આવા કિસ્સામા પત્ની એને આપમેળે પરમેશ્વર માનવા લાગે એમાં નવાઈ નહિ કારણકે એ તેના અનુભવ અને મોટી ઉંમરને લીધે પતિ ઉપરાંત ગુરુ અને ફાધર ફિગર બની રહે. હવે આજના સમયમાં જુઓ...લગભગ બધી