પરી - ભાગ-16

(14)
  • 2.4k
  • 3
  • 1.1k

" પરી " પ્રકરણ - 16 ગઇ વખતે આપણે જોયું કે, શિવાંગને માધુરીની પરિસ્થિતિની જાણ થતાં જ તે બિલકુલ ભાંગી પડે છે અને અત્યાર સુધીમાં કોઈ દિવસ માધુરીને મળવા જવાનો પ્રયત્ન નથી કર્યો પણ આજે તે નક્કી કરે છે કે, હું માધુરીને મળવા ચોક્કસ જઇશ....હવે આગળ... મેરેજ પતાવી શિવાંગ અને ક્રીશા ઘરે જાય છે. શિવાંગને જોઇને ક્રીશાને લાગે છે કે શિવાંગ મૂડમાં નથી એટલે તે શિવાંગને પૂછે છે, " કેમ શિવાંગ, તમારી તબિયત બરાબર નથી કે શું..? તમે મૂડમાં નથી લાગતા શિવાંગ ક્રીશાને માધુરીની સાથે કેવી દુ:ખદાયી ઘટના બની ગઇ તેની બધીજ વાત કરે છે. જે સાંભળીને ક્રીશાને પણ ખૂબજ