સસરાજી

(33)
  • 2.6k
  • 648

છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી લગ્નની તૈયારી નો ધમધમાટ હવે પૂરો થઈ ગયો હતો.ઓમનાથે તેના કાળજાના ટુકડાને સાસરે વળાવી દીધો.ને પોતાનાં ઘરે દિકરાની વહુ લાવી નાખી.બંને ભાઈ - બહેનનો પ્રસંગ એક સાથે જ પતાવી ઓમનાથ હળવા થઈ ગયા. ઓમનાથ નાની ઉંમરે વિધુર થઈ ગયા. દિકરો અર્શ બાર વર્ષ ને દિકરી આયુષી દસ વર્ષની હતી, જ્યારે ઓમનાથના પત્ની તેને નોધારા મૂકી સ્વર્ગે સિધાવ્યા ત્યારે.કુટુંબ,સગા,સબંધી બધાએ ઓમનાથને પુનઃ લગ્ન કરવા ઘણું સમજાવ્યાં. ને હજું ઓમનાથ ની ઉંમર પણ ક્યાં એટલી મોટી હતી! સારી નોકરી પણ હતી.જો તે ઈચ્છે ત તો તેને સારું પાત્ર પણ મળી