પારિજાત - દિવ્યેશ ત્રિવેદી

(17)
  • 4.1k
  • 976

ફોન મૂક્યા પછી સુધા ક્યાંય સુધી ખુરશીમાં બેસી રહી. આ વખતે વ્યોમ એકદમ મક્કમ હતો. હવે સુધા પાસે પણ કોઈ બહાનું નહોતું. એ કોઈ બહાનું કાઢે તો પણ વ્યોમ એ માનવાનો નહોતો. ફોન પર એણે સ્પષ્ટ કહી દીધું હતું કે તા. ૩૧ ડિસેમ્બરે ત્યાં આવીને દસ જ દિવસમાં પાછા જવાનું છે. એણે તા. ૧૧ જાન્યુઆરીની રિટર્ન ટિકીટ પણ બુક કરાવી દીધી હતી. આમ તો વ્યોમ છેલ્લાં આઠ વર્ષથી સુધાને લઈ જવાનું કહેતો હતો. પરંતુ સુધા ટાળતી હતી. અત્યાર સુધી તો એણે રિટાયર થવા સુધીની મુદત નાખી હતી. ગયા માર્ચ મહિનામાં એ રિટાયર થઈ ગઈ હતી. છતાં પી.એફ. અને ગ્રેજ્યુઈટીનું સેટલમેન્ટ