મંદી વગરનો બિઝનેસ

  • 2.8k
  • 1k

મંદી વગરનો બિઝનેસ "જો સાંભળી લે, કહી દઉં છું હવે તારી જવાબદારીઓ તારે પોતે લેવી જ પડશે. ભણાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તું ભણ્યો નહિ. હવે તું બિઝનેસમાં પણ ધ્યાન નથી આપતો." ગુસ્સામાં ધીરજભાઈ બરાડા પાડતા બોલ્યા. ધીરજભાઈ શહેરના જાણીતા ઉધોગપતિ અને બિલ્ડર હતા. દરેક માતાપિતાની જેમ ધીરજભાઈ પણ પોતાના એકના એક દીકરા માટે પહાડથી પણ ઉંચી અપેક્ષાઓ રાખી હતી. પણ તેમનો દિકરો તેમના વિચારોથી અલગ જ દિશામાં વિચરતો હતો. "પપ્પા, મને તમારા બિઝનેસમાં રસ નથી. જે બિઝનેસમાં વારંવાર મંદી આવતી હોય એવો બિઝનેસ શું કામનો." સુપુત્ર કેશવે કહ્યું. "એવો કયો બિઝનેસ