“દિલની કટાર”- સાક્ષાત્કાર

(13)
  • 4.2k
  • 3
  • 1.4k

“દિલની કટાર”...સાક્ષાત્કાર... “સાક્ષાત્કાર” ઈશ્વરને પામવા એને જોવા એનો સાક્ષાત સત્કાર કરવા માનવ તપ કરે છે , ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા ઋષિ મુનિઓ સેંકડો વર્ષો તપ કરે એવાં પુરાણની કથાઓમાં દાખલા જીવે છે. સાક્ષાત્કાર એક માત્ર ઈશ્વરનો નહીં પરંતુ જ્ઞાનનો પણ હોય છે. “જ્ઞાનનાં ભાનનો” એની જાગરૂકતા થાય પછી જ ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. આપણાં જીવનમાં બાળપણ , કિશોરાવસ્થા , જુવાની ,પ્રૌઢતા , છેલ્લે વૃદ્ધત્વ અને પછી નિર્વાણ. માનવ જીવનની સફર અને અંત.