હું મારી વ્યથા કોને કહું? ભાગ-૨

  • 3.4k
  • 1.2k

એક વાર મને યાદ છે તે મુજબ અમે આઠ ભાઈઓ ધર, ધૃવ, સોમ, અપ, અનલ, અનિલ, પ્રતુષ, પ્રભાસ હતા. સંયોગ વશ અમે બધા આકાશ માર્ગે ભ્રમણ કરતાં કરતાં કુટુંબ કબીલા સાથે ઋષિ વશિષ્ઠના આશ્રમમાં આવ્યા. મને યાદ છે તે મુજબ ઋષિ વશિષ્ઠએ અમારૂં સ્વાગત કર્યું. ત્યાર બાદ અમો બધા વિવિધ ક્રિડાઓમાં મગ્ન હતા. પરંતુ પ્રભાશના મનમાં અન્ય વિચારો જન્મ લઈ ચુક્યા હતા. જે મુજબ તે તથા તેની પત્ની ઋષિ વશિષ્ઠના આશ્રમમાં રહેતી કામધેનુ નંદીનીની ચોરી કરવાનું મન થઈ આવ્યું. થોડી વાર બાદ તેઓએ બીજા બધા ભાઈઓને જણાવ્યું. બધા જ ભાઈઓ આનાકાની કરવા લાગ્યા. પરંતુ છેવટે બધા જ માની ગયા અને