વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૫

  • 3.8k
  • 1.9k

નેપાળ નામકરણ, સ્વયંશિસ્તતાઓ અને વિશિષ્ટતાઓ ~~~~ ગઈકાલ સુધીનું વિશ્વનું એકમાત્ર હિન્દુરાષ્ટ્ર ભગવાન શંકરના કાયમી વસવાટની ભૂમિ માતા પાર્વતીએ ભગવાન શંકર સાથે પોતાનો ઘરસંસાર માંડયો તે ભૂમિ માતા સીતાએ જ્યાં જન્મ ધર્યો તે ભૂમિ ભગવાન રામ સ્વયંવરમાં સીતાને જ્યાં વર્યા તે ભૂમિ ભગવાન બુદ્ધની જન્મભૂમિ વેદકાળના પુસ્તકોમાં નેપાળનો ઉલ્લેખ છે નેપાળ ના નામકરણ બાબતે અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે જેમની કેટલીક માન્યતાઓ પર આપણે નજર કરી લઈએ માન્યતા - ૧ સ્કંધપુરાણના સંદર્ભ અનુસાર "નેમુનિ" નામના ઋષિ હિમાલયમાં વસવાટ કરતા હતા પશુપતિપુરાણના સંદર્ભ અનુસાર નેમુનિ નામના સંત હતા જે વખતોવખતો આવતી કુદરતી આપત્તિઓમાં પ્રજાને એક અથવા બીજી રીતે કુદરતી આપત્તિઓથી