અંતિમ વળાંક - 21

(36)
  • 3.8k
  • 4
  • 1.7k

અંતિમ વળાંક પ્રકરણ ૨૧ ઈશાને જયારે ભીની આંખે કહ્યું કે આશ્રમના બાળકોને સ્વીટ તેની પત્ની ઉર્વશીની યાદમાં જ વહેંચી છે ત્યારે જ સામે બેઠેલી સ્મૃતિને ખ્યાલ આવ્યો કે ઇશાનની પત્ની આ દુનિયામાં નથી. “ઓહ , આઈ એમ એક્ષ્ટ્રીમલી સોરી. ” ‘સ્મૃતીજી, ગયા વર્ષે જ ઉર્વશીનું લંડનમાં એક કાર અકસ્માતમાં અવસાન થયું હતું. તેના અસ્થિવિસર્જન માટે જ હરિદ્વાર આવ્યો છું. ગઈ કાલે જ એ પવિત્ર કામ પતાવીને હોટેલ તરફ જઈ રહ્યો હતો ત્યારે અનાયાસે જ પરમ એટલેકે પરમાનંદ સ્વામી સાથે મુલાકાત થઇ”. “પરમાનંદ સ્વામીના અમારા આશ્રમ પર અનેક ઉપકારો છે. ગયા વર્ષે આર્થિક તંગીને કારણે આ આશ્રમ બંધ કરવો પડે તેવી