મારી લઘુકથા સંગ્રહ

(16)
  • 2.5k
  • 2
  • 752

*મારી લઘુકથા સંગ્રહ* વાર્તા.. ૧ ) અણસાર..લાખીને બે દિવસથી અણસાર આવી ગયો હતો કે હવે એ નહીં બચી શકે. એક મહિનાથી એ પથારીવશ થઈ ગઈ હતી અને એના મનુની હાલાત એનાથી જોવાતી ન હતી એ સૂતા સૂતા ભગવાનને પ્રાર્થના કરતી હતી કે વાલીડા...મારા પહેલા આ મનુ ને લઈ લે નહીં તો મારા પછી એનું ધ્યાન કોણ રાખશે. મોટો દિકરો અને વહુ તો તિરસ્કાર જ કરતા હતા મનુ નું કે પાંચ ગામ દૂર કોઈ મંદિરમાં મુકીને આવતા રહીએ પણ લાખી નો જીવ ના ચાલ્યો કહે હું જીવીશ ત્યાં સુધી એને હું પાલવીશ તમારા માથે નહીં પડે. લાખીએ નાની ઉંમરે જ