મનોરંજન ની માયાજાળ

  • 4.1k
  • 983

આપણાં આ દોડતાં ભાગતાં જીવનમાં મનોરંજન વિનાં જીવન વિતાવવું શક્ય નથી. આખો દિવસ નોકરી ધંધાનું ટેન્શન, હજારો લોકો સાથેની ગમતી અણગમતી વાતો સાંભળીને કંટાળેલા લોકો થોડું મનોરંજન મેળવવા ની ઈચ્છાઓ રાખે એ સ્વાભાવિક છે. મનોરંજન વિનાં માનવી પોતાનું મન પ્રફુલ્લિત કરી શકતો નથી એ વાત કહેવી અતિશયોક્તિ ના કહી શકાય. મનોરંજન એટલે મગજને પ્રફુલ્લિત કરવાનું સાધન. મનોરંજન આજે ટેકનોલોજી અને વિવિધ યંત્રો દ્વારા જ થાય છે એવું નથી, મનોરંજન ની શરૂઆત માનવજીવન ની ઉત્પત્તિ સાથે જ થઈ ગઈ હતી. રાજા મહારાજાઓ મનોરંજન માટે હાસ્ય, નૃત્ય અને કલાકારીગરોની કરામતોનાં કાર્યક્રમો યોજતાં એ વાત આપણાં માટે નવી નથી. પહેલાં નાં જમાનામાં લોકો પાસે