આત્મમંથન - 2 - આગમચેતી

(18)
  • 5.2k
  • 4
  • 1.7k

આગમચેતી આપણાં ઘરના વડીલો, ધરડા બુઢા, માઁ – બાપ, જે દીર્ઘ ર્દષ્ટિ થી જીવન જીવતા હતાં તે જ જીવન જીવવાની સાચી રીત હતી. ભૂતકાળ ના અનુભવો, વાંચન, સાંભળવાની કળા, આંતર સૂઝ, કોઠા સૂઝ, ભગવાન પર શ્રધ્ધા, ભવિષ્ય ના બનાવો નો અણસાર, ન્યુઝ પેપર વાચવાની ટેવ,વગેરે…. ૧૯૬૫ પછી ઘણીબધી કુદરતી અને માનવ નિર્મિત આફતો આવી જેવી કે અંધારપટ, અનામત ના આંદોલનો, વરસાદી પૂર, ધરતીકંપ, સ્વાઇન ફ્લૂ, કોરોના જેવી મહામારી. આ આહતો દરમ્યાન નરી આંખે જોયેલું સત્ય, દિલ હચમચવી નાખે તેવું હતું. આફતો પછી ના મહિનાઓમાં જે હાડમારી ભોગવી તે અસહ્ય હતી, સામાજીક, આર્થિક, નાણાકીય, શારિરીક, અને માનસિક પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું