પ્રેત યોનિની પ્રીત... - 18

(138)
  • 6.4k
  • 7
  • 3.3k

પ્રેત યોનીની પ્રીતપ્રકરણ-18 બાબાએ એ બંન્ને જીવોને જે અવગતિએ થઇ પ્રેત થયાં હતાં એ લોકોને પ્રેતયોનીમાં પણ પારાવાર પીડા આપી. અને પછી મનસા તરફ નજર કરી કહ્યું "જો પેલો પણ આ લોકોની લાઇનમાં જ છે અને મધ્યમાં રહેલાં અગ્નિમાં જોયું તો એનો પારાવાર પીડાથી પીડાતો ચહેરો જોયો. મનસાને ઘણી શાંતિ મળી હોય એવું લાગ્યું. બાબાએ કહ્યું "તમે બંન્ને સાચાં હતાં તેથી તમારી પ્રતેયોનીમાંથી મુક્તિ મળી અને બીજો ફરીથી મળવાં જન્મ લઇ શક્યાં. આ લોકો નહીં રહે પ્રેત નહીં રહે મનુષ્ય એ લોકો કોઇ બીજી જ યોનીમાં સબડશે. માનસે કહ્યું "બાબા પણ મને જીવતે જીવત અપાર પીડા મળી... પછી પણ પીડા...