રિવેન્જ - પ્રકરણ - 50

(197)
  • 5.3k
  • 16
  • 3.1k

રિવેન્જ પાર્ટ 50 અન્યા પોતાનાં નક્કી કરેલાં લક્ષ્ય તરફ આગળ વધી રહી હતી. એ પોંડીચેરી અરવિંદો આશ્રમ પહોંચી ગઇ. મનોમન રાજન સરનો આભાર માની રહી. અહીં પન્નાબેન ઉર્ફે નલીનીમાલિની રાજની મંમીને મળી બધો સંવાદ થાય.. બધી બાજી પોતાનાં તરફ કરી લીધી એટલે કે એની મોમને ઘરે આવવા મનાવી લીધી. સંવાદનો છેલ્લો શેષભાગ યાદ રહી ગયો કે અહીં કોઇ અંતે કહેલું કે તને લેવા માટે સામેથી આવશે અને એનું નિમિત કોઇ અનન્ય જીવ હશે. શું એ સંતને એહસાસ હશે કે હું મનુષ્ય યોનીનો નહીં પ્રેતયોનીનો જીવ છું ? અને હું આવીશ ? એ બસ "અનન્ય જીવ" શબ્દને વાગોળતી રહી.