કળયુગના ઓછાયા - ૪૨

(101)
  • 2.9k
  • 4
  • 1.6k

શ્યામ બધી તૈયારી શરૂ કરવા લાગે છે.અક્ષત તેને મદદ કરે છે અને બધી વાત રૂહી એ લોકોને પણ કરી દે છે.... એટલામાં ફરી ગુરૂજી નો ફોન આવે છે અને કહે છે તુ કોઈ તારી સાથે બીજું હોય તેમનો નંબર આપ. કદાચ વિધિ દરમિયાન કંઈ જરૂર હોય તો હું એ નંબર પર પણ વાત કરી શકું...આથી તે અક્ષતનો નંબર આપે છે. બંને જણા તૈયાર થઈને બધી વસ્તુ લેવા જવાનું નક્કી કરે છે.... અનેરીને શ્યામ કેયાને અહીં બોલાવવાની વાત કરે છે.... એટલે એ પહેલાં રૂહી અને આસ્થા ને કહે છે. આસ્થા : હું પપ્પાને ઘરે ફોન કરી જોઉં...કે કેયાદીદીને અહીં લાવી શકશે