અણબનાવ - 2

(56)
  • 7k
  • 4
  • 4.3k

અણબનાવ-2 અચાનક રાકેશ બધાને છોડીને ચાલ્યો ગયો.એના પરીવારને અને એટલો જ એના મિત્રોને આઘાત આપતો ગયો.હોસ્પીટલમાં રો કકડ ચાલતી હતી ત્યાંરે જ આકાશ આવ્યોં.એના તો હોશ ઉડી ગયા.એ મૌન થઇ ગયો.એને જે કહેવું હતુ એ તો પહેલા જ એ કહી ચુકયો હતો.હવે રાકેશનાં મૃત્યુથી એની પાસે કહેવાનું કંઇ ન બચ્યું.વિમલ અને સમીર તો રાજુને તથા રાકેશનાં પરીવારને આશ્વાસન આપતા રહ્યાં.પોતે હિંમત રાખી બીજા બધાને પણ હિંમત આપતા રહ્યાં. સ્મશાનમાં લાકડાથી અગ્નિદાહ અપાઇ રહ્યોં હતો.આકાશ એકલો એક તરફ શુન્યમનસ્ક થઇને બેઠો હતો.વિમલ અને સમીર સ્મશાનનાં બાકડા પર આંસુ સારતા બેઠા હતા.રાજુ તો રાકેશનાં