અવઢવ

  • 2.9k
  • 928

પુસ્તક પરિચય અવઢવ લેખક: નીવારોઝીન મહેતા અવઢવમાં છું.... ૧૯૮૨નું વર્ષ હતું ,જ્યારે મારો પહેલો પરિચય થયેલો -નીવારોઝીન ક્લેમેંટ્ભાઈ મહેતા સાથે ! પરિચયતો ક્યાં? ખાલી ‘મળ્યાં દ્રષ્ટો- દ્ર્ષ્ટ’ ! પછીના દિવસોમાં એને વક્તા, નાટ્યકર્મી, ગાયક, વિધ્યાર્થી નેતા- પછી થી મિત્રની સખી, વાગ્દત્તા અને પત્ની- એવાં કેટકેટલાં રૂપે જોયેલી..પણ એનાં લેખિકા સ્વરૂપનો પરિચય હજુ તાજો છે. ફેસબૂક પર રસપ્રદ પોસ્ટ લખે કે બ્લોગ પર બે- ચાર હ્રદયસ્પર્શી પ્રસંગો લખે તો હું વખાણ કરૂં પણ એને કાંઈ લેખક ન માનું. નીવાની મંજુ વાર્તા વાંચીને આંખમાંથી અશ્રુઓ સરી પડ્યાં અને એ જ વાર્તા એમારી પાસે એનો લેખક તરીકે સ્વીકાર પણ કરાવ્યો ! 000 અવઢવ