અનાવરણ

(16)
  • 4.4k
  • 1
  • 1.1k

વાર્તા- અનાવરણ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.97252 01775 રામેશ્વર મહાદેવ મંદિરને ફૂલોનો સુંદર શણગાર કર્યો હતો.પ્રાંગણમાં મોટો મંડપ બાંધવામાં આવ્યો હતો.લગભગ ત્રણ હજાર જેટલી ખુરશી ઓ ગોઠવી હતી.વીસ માણસો બેસી શકે એવડું સ્ટેજ એના ફરતે રંગબેરંગી પરદા સજાવ્યા હતાં.ગાલીચા અને તકિયા બિછાવ્યા હતા.મુખ્ય મહેમાનો માટે તથા શ્રોતાઓ માટે એર કુલરની વ્યવસ્થા હતી.સ્ટેજ ઉપર માઇક,સ્પીકર વિ.તૈયારીઓ થઇ ગઇ હતી.મહેમાનો માટે ફૂલહાર આવી ગયા હતા.કોણ કોનું સ્વાગત કરશે તેની યાદી પણ બની ગઇ હતી.ચા-નાસ્તા નું કાઉન્ટર ગોઠવાઇ ગયું હતું.વ્યવસ્થાપકો એ પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે ખૂબ જ પરિશ્રમ ઉઠાવ્યો હતો. હેમંત ચૌહાણ નો ભજન સંધ્યા