આ વાતની જાણ રાશીદ અને આસિફાનેય કરવામાં આવી. વાતની જાણ થતાં જાણે રાશીદ અને આસિફા ઉપર આભ તૂટી પડ્યું. રાશીદ તો એમેય નાનપણથી જ રહેમતનાં લગનને લઈને પોતાની જાતને દોષિત માનતો હતો અને આ વાત સાંભળતા તો તેને લાગ્યું કે તેની દીકરીનું જીવન તેણે જ વહેલા લગન કરીને બરબાદ કરી નાયખું છે. તે હુસેનાબાનુંનાં ખોળામાં પોક મૂકીને રોઈ પડ્યો.