સવાર ના ૬ વાગ્યાં હશે... એલારામ નો અવાજ સાભંળી રવી એ એલારામ બંધ કર્યું અને વળી પાછો સૂઈ ગયો...થોડી વાર પછી ઘર ની બેલ વાગી.... બેલ સતત વાગતી રહી...એટલે ગુસ્સા માં આવી ને રવી એ બૂમ પાડી.. "મોસમ...મોસમ....જો તો કોણ સવાર માં આમ બેલ વગાડે છે..." થોડી વાર સુધી કોઇ અવાજ ન આવતાં.. રવીએ ફરી થી બૂમ પાડી... "મોસમ ?" અને ઊઠી ને બહાર આવ્યો... ઘર માં નજર ફેરવી પણ કોઈ ન દેખાયું... એટલે દરવાજો ખોલવા ગયો...દરવાજો ખોલતા જ સામે સોસાઈટી નો કેરટેકર યાદવ ઊભો હતો... "શું છે ...સવાર સવાર માં?" રવી થોડી ઊંઘમાં અને મોસમ ક્યાં ગઈ..? તે વિચારતો