પ્રેમ કે પ્રતિશોધ - 31

(81)
  • 2.9k
  • 3
  • 1.8k

પ્રેમ કે પ્રતિશોધ-31(આગળના ભાગમાં જોયું કે વિનય અને તેના મિત્રો એક કેફે શોપમાં બેઠા હોય છે. અને અર્જુન પણ જરૂરી કામ હોવાથી ત્યાં આવે છે. અને બધાને જણાવે છે કે પ્રેમનું એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હતું.)હવે આગળ...અર્જુનની વાત જાણે બધા માટે ગળે ઉતરે તેવી નહોતી કારણ કે અત્યાર સુધી પ્રેમ જ બધા મર્ડર કરે છે બધાના મનમાં એ જ આશંકા હતી. પણ પ્રેમનું અવસાન થયું છે એ જાણીને બધા આશ્ચર્યમાં પડી ગયા.અર્જુને યોગ્ય જણાય તેવી માહિતી આપતાં બધાને પ્રેમના એક્સિડેન્ટ વિશે વિગતે વાત કરી.રાધીએ કહ્યું,“ જે પણ થયું ખોટું થયું, એના મનમાં ભલે અમારાબધા પ્રત્યે નફરત હોઈ, પણ એ અમારો જ